કયા કયા માલમાં ઝકાત ફર્ઝ નથી ?

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 57)

નીચેના માલ–સામાનમાં ઝકાત ફર્ઝ નથી થતી, ભલેને તેની કિંમત કેટલીય હોય !

(૧) રહેવાનું મકાન, (ર) ભાડે આપેલા મકાન, દુકાન (અલબત્ત, તેની આવક પર નિયમાનુસાર ઝકાત ફર્ઝ થશે.) (૩) વપરાશનાં કપડાં, ચાદરો, ફર્શ વગેરે, (૪) ગાડીઓ, (પ) ઘરની સાધન–સામગ્રી (ફ્રીઝ, કૂલર, વૉશિંગ મશીન વગેરે,) (૬) ગુલામ–બાંદીઓ (નોકર–નોકરાણીઓ) જે સેવાચાકરી માટે નિયુકત હોય, (૭) પોતાની સુરક્ષા માટે રાખેલાં હથિયાર, (૮) ઘરમાં ખાવા–પીવાનો ભંડોળ, (૯) સજાવટના વાસણો, (૧૦) હીરા–રત્નો (જ્યારે કે તે વેપાર અર્થે ન હોય), (૧૧) વાંચનલક્ષી પુસ્તકો, (૧ર) કળા– કૌશલ્યના ઓજારો અને મશીનો, કારખાનાઓ, ફેકટરીઓ, ભાડૂત બસો અને ટ્રકો અને ખેતીવાડીનાં સાધનો, જેમ કે ટ્રેકટર વગેરે. (તદુપરાંત, દરેક તે સામાન જે વેપારની નિય્યતથી ખરીદવામાં આવ્યો ન હોય. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૬, ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૮)

Log in or Register to save this content for later.