એડવાન્સ ઝકાત આપવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 63)

જો કોઇ માણસે નિસાબ પ્રમાણેનો માલ કબજા હેઠળ આવ્યા પછી હિસાબ લગાવી અમુક વર્ષોની એડવાન્સ– અગાઉથી ઝકાત અદા કરી દીધી તો પણ તેની અદાયગી  દુરુસ્ત લેખાશે. (તેમ છતાં જો આગામી વરસોમાં જો માલ વધી જાયતો તે જ હિસાબથી વધુ ઝકાત કાઢવી પડશે.) (મસાઇલે બેહિશ્તી ઝેવર : ૩૧પ, કિતાબુલ મસાઇલ : ર/૧૪૯)

સંભવિત આવકની એડવાન્સ ઝકાત

ઝકાતનું વરસ પૂરું થતાં પહેલાં ઝકાત આપવી જાઇઝ છે અને પૂરા વરસ દરમિયાન સંભવિત ઝકાતપાત્ર આવકની ઝકાત પહેલેથી આપી દેવી એ પણ જાઇઝ છે. અલબત્ત, આવી સૂરતમાં ઝકાતની અદાયગીના સહીહ થવા માટે ઝકાત આપતી વખતે સાહિબે નિસાબનું માલદાર હોવું અનિવાર્ય અને જરૂરી છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૧પ)

Log in or Register to save this content for later.