Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 47)
કાર, દુકાન અને વેપાર–ધંધામાં જે રકમ ઇન્સ્યૉરન્સમાં જમા કરવામાં આવે છે તેની વાપસી યકીની હોતી નથી, એટલા માટે તેના પર ઝકાત ફર્ઝ થશે નહિ. અલબત્ત, લાઇફ ઇન્સ્યૉરન્સ (જીવનવીમા)ની રકમ કોઇ પણ સંજોગોમાં પરત મળે છે, તેમાં જમા થયેલ મૂળ રકમ પરત મળ્યા પછી પાછલાં વરસોની ઝકાત ફર્ઝ થશે. આ દૈને કવીના દરજામાં છે અને મૂળ રકમથી વધીને જે રકમ મળનાર છે તે કેમ કે વ્યાજ અને હરામ છે, એટલા માટે તેના પર ઝકાત વાજિબ નથી થતી. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૯, ફતાવા હક્કાનિય્યહ : ૩/પ૦૬)
Log in or Register to save this content for later.