Chapter : નિકાહ સહીહ નથી.
(Page : 295)
સવાલ(૪પ૧–૬૧):–ફકીર મુહમ્મદ સાથે જમીલાબીબીની શાદી ૯ વર્ષ પર થઈ હતી, તેનાંથી એક છોકરો અને ચાર છોકરી છે,જેમાંથી ત્રણ હયાત છે, બેનું મરણ થયું,ફકીર મુહમ્મદે જમીલાને તલાક દીધી જેને ચાર માસ થઈ ગયા, જમીલાએ ર૩–૬–૬૮ ના ઝહોર પછી નિકાહ કર્યા અને અસર પછી તલાક લઈ લીધી, હજુ સુધી સંભોગ થયો નથી,હવે બીજી વાર નિકાહ કરવા ચાહે છે,તો શું ઈદ્દત ગુઝારવી પડશે ? ફકીર મુહમ્મદ સાથે નિકાહ થઈ શકે કે નહિં ?
જવાબ(૪પ૧–૬૧):–જમીલાબીબીના બીજા નિકાહ બાદ જો બીજા ધણી સાથે ખલવતે સહીહહ (સંપુર્ણ એકાંતવાસ) થઈ હોય,એટલે મિયાં બીવી કોઈ ખાલી ઘરમાં જયાં એ બન્નેવ વગર બીજું કોઈ નહિં હોય,ત્યાં એકત્ર થયા હોય તો હવે બીજા ધણીના તલાક દેવા પર જમીલાબીબી એ ત્રણ હૈઝ ઈદ્દત ગુઝારવી જરૂરી છે, અને જો ખલવતે સહીહહ નથી થઈ તો ઈદ્દત ગુજારવી વાજિબ નથી. સારાંશ પહેલી સૂરતમાં ઈદ્દત ગુઝર્યા બાદ અને બીજી સૂરતમાં તુરત જમીલાબીબી ફકીર મુહમ્મદ એટલે પહેલા ધણી સિવાય કોઈ પણ માણસ સાથે બીજા નિકાહ કરી શકે છે,પરંતુ ફકીર મુહમ્મદ સાથે નિકાહ કરવું જયારે કે તેણે ત્રણ તલાક દીધી હોય તો કોઈ રીતે જાઈઝ નથી,કારણ કે બીજો ધણી સહીહ નિકાહ પછી સંભોગ ન કરે તો તલાક દેવાથી અથવા મરણ થવાથી ઓરત,પહેલા ધણી માટે હલાલ થતી નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ૪/રપ૭)
Log in or Register to save this content for later.