હજ્જ માટેની રકમથી મસ્જિદનું બાંધકામ.

Chapter : હજના વિવિધ મસાઈલ

(Page : 265)

સવાલ(૩૮પ–૧પ):– એક વ્યકિતએ હજ્જ અદા કરવા માટે પૈસા અલગ મૂકી રાખ્યા છે,પણ હવે તે વ્યકિતની તબીયત સારી નથી,અશકિતના કારણે હજ્જના અરકાન અદા થાય તેમ નથી,તો હજ્જ માટે રાખી મૂકેલા પૈસા કોઈ મસ્જિદના બાંધકામમાં વાપરી શકે કે નહિં ? તેનો ઉકેલ કરી આપવા કૃપા કરશોજી.

જવાબ(૩૮પ–૧પ):–  જો સદરહુ ભાઈ ઉપર હજ્જ ફર્ઝ (સવારી અને ભથ્થાની કુદરત) થઈ ગઈ હોય તો હજ્જ પઢવી જ જોઈએ. જો ફર્ઝ હજ્જ અદા નહિં કરે અથવા પોતે અદા કરવાથી માઅઝુર હોવાથી હજ્જે બદલ નહિં કરાવે તો ગુનેહગાર થઈ અઝાબના પાત્ર થશે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/ર૧૭)

Log in or Register to save this content for later.