સ્ત્રી સાથે વ્યભિચાર કરવાથી તેણીની છોકરી હરામ થશે.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.

(Page : 278)

સવાલ(૪૧પ–રપ):–હાશિમે ફાતમાંના સાથે ઝિના (વ્યભિચાર) કર્યો,અને પાછળથી તેની છોકરી આમેના સાથે મહોબ્બત થઈ,અને એવી મહોબ્બત કે હાશિમ અને આમિનાની શાદી ન થાય તો બન્‍નેવ જરૂર આપઘાત કરે એમ છે, તેઓને સમજાવતાં સમજતાં નથી, તો આવા ટાઈમે વસ્તીવાળાઓએ શું કરવું ? બન્‍નેવને આપઘાત કરવા દેવો કે નિકાહ પઢાવી દેવી ? હાશિમે છોકરીની માં સાથે ઝિના કર્યો એનો ગવાહ ફકત એક જ છે,અને હાશિમ જુઠું બોલે છે કે મેં ઝિના કર્યો નથી તો આવા ટાઈમે ફાતમાંની છોકરી આમિના સાથે હાશિમની શાદી કરવી કે કેમ ?

જવાબ(૪૧પ–રપ):– દર્શાવેલ વિગત (છોકરીની માં સાથે ઝિના બાબત) જો સત્ય હોય તો શકય સુધી નિકાહ અટકાવવા પ્રયાસ કરવો જોઈએ,ભલે આપઘાત કરે તે બન્‍નેવ ગુનેહગાર થશે.એક ગવાહથી ઝિના પુરવાર થશે નહિં અને એ માણસ પોતે ઝિનાનો નકાર કરે છે તો કઝાની રૂએ હુર્મતે નિકાહ (નિકાહના હરામ હોવા) નો હુકમ લગાડી શકતા નથી જો એ જુઠું બોલ્યો હશે વાસ્તવમાં એણે ઝિના કર્યો છે તો ખુદાપાકના નજીક નિકાહ હરામ થશે કાઝીના નિકાહ પઢાવવાથી હલાલ થશે નહિં જેમ ઝિનાથી હુર્મતે મુસાહરત (સાસરા સગાઈ) સાબિત થાય છે તેમ ચુંબનથી શહવત સહિત અડવાથી પણ સાબિત થશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.         ( હિદાયાઃ ર/૩૦૯)

Log in or Register to save this content for later.