સુન્નત મહેર (મેહરે ફાતિમી) ની રકમ.

Chapter : મહેરનું વર્ણન

(Page : 306)

સવાલ(૪૭૭–૮૭):–        શાદીમાં અપાતી મહેર ઓરતને કયાં સુધી આપી શકાય છે ? અત્યારે માલદાર હોય કે ગરીબ હોય ઘણી જગ્યાએ મહેરમાં રૂા. ૧ર૭/પ૦ આપતા જોયા છે,જો અવરત શોહર પાસે એથી વધારે મહેરની માંગણી કરે તો શોહર કેટલી મહેર આપી શકે છે ? ઓરતના વાલીઓ વધારે માંગણી કરી શકે છે કે નહિં ? હાલના મોંઘવારીના ટાઈમ પર કેટલી આપી શકાય ? મહેર પેટે સોનું માંગી શકાય ? અને કેટલું આપવું જોઈએ ? હઝરત ફાતિમા (રદિ.) ની મહેર કેટલી હતી ? આજના હિસાબે કેટલી થાય છે ?

જવાબ(૪૭૭–૮૭):–હનફી સરણીમાં ઓછામાં ઓછી મહેર ૧૦ દિર્હમ અંકે દસ દિર્હમ ચાંદી એટલે લગભગ પોણા ત્રણ તોલા,અથવા બજાર પીઠે એની કિંમત છે,એથી ઓછી રાખી શકાય નહિં,વધારાની મર્યાદા નથી,આથી (હઝરત મુફતી સા.(રહ.)ના સમયના ચાંદીના ભાવ મુજબ) ૧ર૭/પ૦ રૂપિયા જાઈઝ છે,એથી વધુની માંગણી ખોટી નથી,સુન્‍નત મહેર આપ (સ.અ.વ.) ની પવિત્ર બીબીઓની સિવાય હઝરત ઉમ્મે હબીબહ (રદિ.) તથા આપની લાડકી બેટીઓની સિવાય પ૦૦/–અંકે પાંચસો દિર્હમ ચાંદી એટલે લગભગ ૧૩૧ અને એક તૃત્યાઉંશ તોલા અથવા તેની કિંમત હતી, એથી વધુ મહેર ફખ્રથી રાખવી જાઈઝ નથી. એજ ખુદાપાક વધુ જાણનાર છે.

(હિદાયાઃ ર/૩ર૪)

Log in or Register to save this content for later.