Chapter : નિકાહ તુટશે નહિં.
(Page : 297)
સવાલ(૪પ૪–૬૪):– કોઈ પણ માણસ પોતાની સાળી (પત્નિની બહેન) સાથે સોહબત (સંભોગ) કરી શકે ખરો ? સાળી સાથે ઝિના (વ્યભિચાર) કરે તો ઓરત હરામ થઈ જાય કે નહિં ?
જવાબ(૪પ૪–૬૪):– સાળી (પત્નિની બહેન) સાથે ઝિના હરામ છે, જેથી સખ્ત ગુનેહગાર થઈ અઝાબનો પાત્ર ઠેરશે, સાચી તૌબા કરવી વાજીબ છે, પરંતુ સાળી સાથે ઝિના કરવાથી પોતાની પત્નિ હરામ થશે નહિં,અને નિકાહમાં ખામી આવશે નહિં,અલબત્ત જયાં સુધી સાળીને એક હૈઝ (માસિક) આવી ન જાય ત્યાં સુધી પોતાની પત્નિ સાથે સંભોગ કરે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ૪/૧૦૯)
Log in or Register to save this content for later.