Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.
(Page : 277)
સવાલ(૪૧૪–ર૪):–બાપ (સસરા) ની સાથે છોકરાની પત્નિ ઝિના– વ્યભિચાર કરાવે તો છોકરાના નિકાહ તેની પત્નિ સાથે રહે કે તૂટી જાય ? નિકાહ ના તુટતા હોય તો એવી સ્ત્રીને ઘરમાં રાખવી કે પછી છુટી કરી દેવી ? કારણ કે આ માણસો તો કાયમના ઘરમાં રહેવાવાળા કહેવાય,જેનો ખુલાસો કરશો.
જવાબ(૪૧૪–ર૪):–સસરાના સંભોગ કરવાથી તેણી,છોકરા ઉપર હંમેશના માટે હરામ થઈ ગઈ,છોકરાની (પત્નિ છોકરા માટે) માં સમાન ગણાશે. જેમકે નિકાહની ભરોષાપાત્ર કિતાબોમાં વિગતવાર વર્ણન છે,માટે તેણીને તલાક દઈ છુટી કરી દેવી જોઈએ,ઘરમાં રાખવી હરામ છે,જયાં સુધી તલાક ન આપે અને તેની ઈદ્દત પુરી ન થઈ જાય ત્યાં સુધી તેણી બીજા સાથે નિકાહ કરી શકતી નથી એટલે તલાક દેવી જરૂરી છે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
(હિદાયાઃ ર/૩૦૯. શામીઃ ૪/૧૦૭)
Log in or Register to save this content for later.