સમાજમાં એ’તિકાફથી બેરગબતી (અરૂચિ)

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 20)

ઉપરોત ફાયદાઓ હોવા છતાં ચિંતાજનક બાબત છે કે, આજે આપણો સમાજ એતિકાફ જેવી કિંમતી ઇબાદતથી વંચિત થઇ રહયો છે. રમઝાનુલ મુબારકમાં જમાઅતની નમાઝો અને તરાવીહ વગેરેમાં માશા અલ્લાહુ તઆલા કંઇક પ્રબંધ થઇ પણ જાય છે, પરંતુ સુન્નત એતિકાફની અદાયગીની બાજુ આકર્ષણ બહુ ઓછું જોવામાં આવે છે અને એનું બીજું કોઇ કારણ નથી કે આપણે ઇદની તૈયારીઓમાં એટલો સમય ફાળવવા માંગીએ છીએ કે ઉમંગો બાકી રહેવા ન પામે અને એવું સમએ છીએ કે, એતિકાફ કરવાના કારણે બધી અભિલાષાઓનો કચ્ચરઘાણ થઇ જશે. વેપારી– ધંધાદારી લોકો તો એતિકાફનો ખ્યાલ પણ દિલમાં લાવતા નથી. એટલા માટે કે આ જ એમની વર્ભરની કમાઇનો વખત છે, તો દુનિયાની કમાઇથી વંચિતતાનો આટલો બધો ખ્યાલ છે, પરંતુ રમઝાનુલ મુબારકની સીઝનમાં રહમતે ખુદાવંદીની પ્રાપ્તિમાં જે ઊણપ રહી જાય છે તેનો કોઇ પણ તનો એહસાસ નહિ ?

અમારો હેતુ આ નથી કે બધા જ લોકો એકીસાથે એતિકાફ કરે, બલકે મકસદ આ છે કે દરેક ઘરવાળાઓ એવી રીતે ગોઠવણી કરે કે તેમના ઘરની એક વ્યક્તિ એતિકાફ કર્યા કરે. જો ત્રણ ભાઇ છે તો એક એતિકાફ  કરે અને બાકીના બે ભાઇ તેની દેખરેખ રાખે. જો દુકાન પર કઇ કર્મચારીઓ કામ કરે છે તો એક માણસને દર વર્ષે એતિકાફ માટે નિયત કરી મૂકે. ઇન્શા અલ્લાહુ તઆલા આ રીતે ઇબાદતની કદર પેદા થશે અને તેની નેક અસરો પૂરા ખાનદાનમાં મહસૂસ કરવામાં આવશે. ખાસ કરીને નવયુવાનોને એતિકાફ કરવા તરફ ધ્યાન દોરાવવાનું છે. એતિકાફ તેઓ માટે મુબારક માહમાં બેશુમાર ગુનાહોથી સુરિત રહેવાનું માધ્યમ બનશે અને દીની કેળવણીનો મોકો ઉપલબ્ધ થશે. છેલ્લા અશરહ પહેલાં મસ્જિદોમાં એતિકાફમાં કાયદાકીય તશ્કીલ થવી જોઇએ, કારણ કે આ મહાન ઇબાદત તરફ સર્વસામાન્ય રુચિ થાય અને મસ્જિદો એતિકાફ કરનારાઓથી આબાદ અને પરિપૂર્ણ થઇ જાય. અલ્લાહ રબ્બુલ ઇઝઝત આપણા સૌને ખુસૂસી તવફીક મરહમત ફરમાવે, આમીન, યા રબ્બલ આલમીન ! –અનુવાદક (કિતાબુલ મસાઇલ : ર/૧૦૪, ૧૦પ)

હવે આપણે એતિકાફને લગતા મસાઇલનું ધ્યાનપૂર્વક વાંચન કરીએ, જેથી આ ગૌરવવંતી ઇબાદત દુરુસ્ત તરીકાથી અદા થાય.

Log in or Register to save this content for later.