સદકએ ફિત્ર કોણ,કયારે અને કેટલો કાઢે ?

Chapter : સદકએ ફિત્ર વિષે

(Page : 258)

સવાલ(૩૬૭–૧૩):– સદકએ ફિત્ર કયારે અને કોના ઉપર વાજિબ છે ? અને સદકએ ફિત્ર કેટલો કાઢવો જોઈએ ?

જવાબ(૩૬૭–૧૩):– ઈદુલફિત્રની સુબ્હે સાદિક સમયે શરઈ માલદાર (જરૂરીયાત ઉપરાંત સાડા સાત તોલા સોનું અથવા સાડા બાવન તોલા ચાંદી અથવા એટલી કિંમતનો વેપાર માલ અથવા એટલી કિંમતનો બિન જરૂરી માલ હોય તેના) ઉપર સદકએ ફિત્ર વાજિબ છે.પોતાનો તથા નાની નાબાલિગ ઔલાદના તરફથી ફિત્રો આપે, નાબાલિગ અવલાદનો ફિત્રો બાપ ઉપર વાજીબ છે તેમના માલમાંથી અદા કરી શકાય છે. જુવાન ઔલાદ અને ઓરત (પત્નિ) તરફથી કાઢવો વાજિબ નથી, તેમની પાસે માલ હોય તો તેઓ પોતે આપે,પોણા બે કિલો ઘઉં અથવા સાડા ત્રણ કિલો જવ કાઢે,અથવા એટલી કિંમતનું બીજુ અનાજ (જુવાર,બાજરી, ચોખા,દાળ વિગેરે) આપે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.             (શામીઃ૩/૩૧૦, આલમગીરીઃ ૧/૧૯૧. હિદાયાઃ ૧/ર૦૮)

Log in or Register to save this content for later.