Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ
(Page : 315)
સવાલ (૪૯૬–૧૦૬) :– મરદ પોતાની ઓરતને હમલ રહયા પછી કેટલા દિવસ સુધી હમબિસ્તર કરી શકે છે? અમારે ત્યાં કહે છે કે પાંચ મહીના સુધી હમબિસ્તર કરી શકાય, તેનાથી એક દિવસ પણ વધારે કરશે તો હરામ છે, તો શું આ ખરૂ છે ?
જવાબ (૪૯૬–૧૦૬) :–સગર્ભા સાથે પ્રસૃતિ સુધી સંભોગ કરવામાં વાંધો નથી, શરીઅતે એ માટે હદ નકકી કરી નથી, પરંતુ ચાર માસ પછી હમલમાં જીવ પડે છે તે મરી જાય નહિં તેનો ખ્યાલ કરવામાં આવે,જો સંભોગથી સગર્ભાને કે હમલને તકલીફ થવાનો ભય હોય તો પરહેઝ કરે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (કિફાયતુલમુફતીઃપ/ર૪૮)
Log in or Register to save this content for later.