સગર્ભા પત્નિ સાથે સંભોગ કયાં સુધી ?

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 314)

સવાલ (૪૯પ–૧૦પ) :–ઓરત હામેલા થયા પછી કેટલા વખત સુધી સંભોગ– હમબિસ્તરી કરી શકાય ? તેના માટે શરીઅતે કોઈ હદ નકકી કરેલ છે ? કેટલાક કહે છે કે પ્રસૃતિ થવાના એક ધન્ય પહેલાં સુધી જો ઓરતને તકલીફ ન હોય તો સંભોગ કરી શકાય,તો તે બાબતનો ખુલાસો આપશો.

જવાબ (૪૯પ–૧૦પ) :–સગર્ભા સાથે પ્રસૃતિ સુધી સંભોગ કરવામાં વાંધો નથી, શરીઅતે એ માટે હદ નકકી કરી નથી, પરંતુ ચાર માસ પછી હમલમાં જીવ પડે છે તે મરી જાય નહિં તેનો ખ્યાલ કરવામાં આવે,જો સંભોગથી સગર્ભાને કે હમલને તકલીફ થવાનો ભય હોય તો પરહેઝ કરે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.                             (કિફાયતુલમુફતીઃપ/ર૪૮)

Log in or Register to save this content for later.