Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.
(Page : 278)
સવાલ(૪૧૬–ર૬):–અકબર પોતાની શાદી થયા બાદ પોતાના મા–બાપ અને એક પરાયા માણસ જે મુસલમાન છે તેઓ સાથે કામ ધંધા માટે વતનથી બહાર નીકળયો,ચારેવ મળી સાથે ધંધો કરતા હતા,અને સાથે જ રહેતા હતા, પરાયા માણસની ઓરત ગુજરી ગઈ છે,વતનના લોકો પરાયા માણસને સાથે રાખવા મનાઈ કરતા હતા,કે એ પરાયાને સાથે ન રાખો,થોડા દિવસો પછી અકબરના સસરાએ,અકબરને લખ્યું કે એ પરાયા માણસને અલગ કરો,લોકો શિકાયતો કરે છે,ખૈર પાછળથી તપાસ કરવાથી ખબર પડી કે એ પરાયા માણસને જુદો કર્યો નથી,જેથી અકબરના સસરા પોતાની છોકરીને પોતાના ઘેર લઈ ગયા,છોકરીના બાપને ફરિયાદ માત્ર પરાયા માણસને ઘરમાં રાખવાની હતી,એમાં અકબર અને તેના બાપનો વાંક નથી, અકબરના સસરાને એ શક ઉત્પન્ન થયો કે પરાયો માણસ અકબરની માં સાથે નાજાઈઝ સંબંધ રાખે છે,એટલા માટે અકબરના સસરાએ પોતાની છોકરીના નિકાહ, તલાક વગર બીજા માણસ સાથે કરી દીધા છે;
નોટઃ– છોકરીના બાપે અકબરની માં ને પુછયું કે એ પરાયા માણસને શા માટે રાખો છો? તો અકબરની માં એ કહયું કે એ નામર્દ (નપુંસક) છે,એ માટે શું વાંધો છે,તો અકબરના સસરાએ પુછયું કેમ જણાયું કે એ પરાયા નામર્દ છે, જેનો જવાબ અકબરની માં એ આપ્યો કે બીજી એક ઓરતને પુછવાથી જણાયુ;
તો વગર તલાકે જે બાપે પોતાની છોકરીના બીજા સાથે નિકાહ કરાવ્યા એ જાઈઝ છે ?
જવાબ(૪૧૬–ર૬):–નિકાહ ફાસિદ છે,કારણ કે કુર્આન મજીદમાં ”વલ મોહસનાતિ મિનન્નિસાઈ” એટલે હરામ છે તમારા ઉપર નિકાહવાળી સ્ત્રીઓ છુટાછેડા વગર. (મોહસનાત તે સ્ત્રીઓ જે બીજાના નિકાહમાં હોય) એ માટે તે છોકરીને પહેલાં ધણીના હવાલે કરી દેવી જોઈએ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(સૂરએ નિસા)
Log in or Register to save this content for later.