વ્યભિચાર કરનારના નિકાહ વ્યભિચાર કરાવનાર સ્ત્રી સાથે.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 274)

સવાલ(૪૦પ–૧પ):–ઉમર કહે છે,હામેલા ઓરત સાથે નિકાહ પઢવું જાઈઝ નથી,નિકાહ પઢાવનારના નિકાહ તૂટી જાય છે,અને ગુનેહગાર થાય છે, હમલ જો કે તે જ માણસનો હોય જેના નિકાહ કરાવવામાં આવે છે,તો એ વિષે શું હુકમ છે ?

જવાબ(૪૦પ–૧પ):–ઉમરનું એમ કહેવું કે હામેલાના નિકાહ પઢાવ્વા જાઈઝ નથી,નિકાહ પઢાવનારના નિકાહ તૂટી જાય છે,એ ખોટું છે,ઝિના વડે હામેલા થયેલ સ્ત્રીના નિકાહ,ઝાની સાથે અથવા ઝાની સિવાય બીજા સાથે પણ જાઈઝ છે,ઝાની (જેનાથી હમલ હોય) નિકાહ કરે તો સંભોગ પણ કરી શકે છે,અને ઝાની સિવાય બીજો નિકાહ કરે તો બાળક જન્મતાં સુધી સંભોગ કરવો હરામ છે,બાકી નિકાહમાં કાંઈ વાંધો કે ઉણપ આવશે નહિ,ઉપરોકત નિકાહ પઢાવનારના નિકાહ તુટશે નહિં,અલબત્ત નિકાહ વડે થયેલ હામેલા (જેનો હમલ–નસબ સાબિત છે) ના નિકાહ પઢવા પઢાવવા હરામ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                                (હિદાયાઃ ર/૩૧ર)

Log in or Register to save this content for later.