Chapter : ઝકાત
(Page : 249)
સવાલ(૩પ૦–પપ):– એક માણસે અમૂક ઈમારતો રંગુનમાં વકફ કરેલ છે,એ રીતે કે એની જે આવક આવે તે પાંચ ભાગમાં વહેંચવામાં આવવામાં આવે,ત્રણ ભાગ રંગુન શહેરની જામેઅ મસ્જિદમાં,એક ભાગ શહેરની રાંદેરીયા હાઈસ્કુલમાં, અને એક ભાગ રાંદેર (ઈન્ડીયા) માં એક મદ્રસામાં; સવાલ એ છે કે વકફ કરનાર મરી ગયેલ છે,વકફની આવકમાંથી રંગુનની જામેઅ મસ્જિદમાં ભાગ બરાબર આપવામાં આવે છે. રાંદેરીયા હાઈસ્કુલ ખતમ થઈ સરકારે કબજો કરી લીધો છે,અને રાંદેર,ઈન્ડીયાને રકમ મોકલવું સરકારી કાયદાની રૂએ મનાઈ છે,તો હવે આજે હાઈસ્કુલ રાંદેરયા અને રાંદેર ઈન્ડીયાનો ભાગ જે અહીં રંગુનમાં જમા છે,ઉપરની મજબુરીના કારણે રંગુનના કોઈ મદ્રસામાં આપી શકાય ? એ રૂપિયા અમૂક વર્ષોથી જમા છે,તો શું એ પર ઝકાત છે ?
જવાબ(૩પ૦–પપ):– મજકૂર હકીકત મુજબ મજબૂરીના લઈ બે પંચમાઉંશ ભાગ માં તસર્રૂફ (રંગુનના મદ્રસામાં આપવું) જાઈઝ છે,અને એ રકમ પર ઝકાત નથી,વકફ બંદાની મિલકત નથી. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.