રોઝાની કઝા અથવા ફિદયા વિગેરે બાબત.

Chapter : રોઝહ

(Page : 254)

સવાલ(૩પ૯–પ):–(૧)  પંદર (૧પ) વર્ષની ઉપરનો જવાન બાલિગ ગણાય છે,તે હિસાબે સોળમાં (૧૬) વર્ષની શરૂઆતથી છ (૬) વર્ષનાં કઝા રોઝા રાખ્યા,હવે યાદ નથી કેટલા બાકી રહયા,? આંખ અને બદનની કમઝોરીના લઈને મારામાં કઝા રોઝા રાખવાની તાકત નથી,જો કે મારી ઉંમર ચોત્રીસ (૩૪) વર્ષની છે,હવે મારા માટે શું ઈલાજ છે ?

                (ર) એક હાજી સાહબે કા’બા શરીફનો તુગરો આપ્યો છે,તેમાં હાજીઓના ફોટા પણ દેખાય છે,તો આવી તસ્વીરો રાખવામાં વાંધો છે ? ફોટાઓ પણ ખાસ દેખાતા નથી.

                (૩) જેવી રીતે બીમાર માણસને કામિલ ડોકટરની જરૂર છે,તેવી જ રીતે દિલ,નફસ,રૂહ બાતિનની સફાઈ આખિરતની ફિકર,મગફિરત,કામ્યાબી માટે આપ જેવા કામિલ બુઝુર્ગની દુઆની જરૂરત છે,માટે આપ મને બેઅત કરી લઈ આખિરી વસિય્યત કરશો.

                (૪)  અકીકા વિના કુર્બાની થઈ શકશે ?

                (પ) કોઈ માણસ મરી જાય અને તેની એક નમાઝ બાકી રહી હોય તો ઘરવાળાને પોણા બે કિલો ઘઉં આપવા પડશે? મરનાર માણસ પર રોઝા વાજિબ છે. તેના ઘરવાળાને રોઝાનો બદલો ફિદયો આપવો પડશે ?

જવાબ(૩પ૯–પ):–(૧)  વધુ અનુમાન પ્રમાણે હવે જેટલા રોઝા બાકી હોય હિંમતથી કઝા કરી લેવા,અત્રે તાકત ન હોય તો જયારે શકિત આવે,જો કઝાની શકિત આવે નહિં તો દરેક રોઝાનો (ફિદયો) પોણા બે કિલો ઘઉં અથવા તો તેની કિંમત દેવી પડશે,જો હયાતીમાં આપશે નહિં તો વસિય્યત કરી જાય. ( શામીઃ૩/૪૧૦, હિદાયાઃ ૧/રર૧ થી રરર. )

                (ર) મના છે,એને આદરથી રાખવો જાઈઝ નથી,રહમતના ફરિશતાઓ આવશે નહિં, અલબત્ત એમના મોઢા ભુંસી નાંખીને લટકાવવામાં વાંધો નથી. (શામીઃ ર/૩૧૬)

                (૩)  એ વિષે (હઝરત મવલાનાને) રૂબરૂ મળશો.

                (૪)  થઈ શકે,કુર્બાનીની દુરૂસ્તગી માટે અકીકો શર્ત નથી. (હિદાયાઃ ૪/૪૪૩)

                (પ) દરેક રોઝાનો ફિદયો (પોણા બે કિલો ઘઉં) આપવો પડશે. એજ ખુદાપાક વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/ર૦૭)

Log in or Register to save this content for later.