રેડિયો–માઈક વાગતું હોય ત્યાં જવું.

Chapter : શાદીમાં બિન ઈસ્લામી રિવાજો

(Page : 300)

સવાલ(૪૬ર–૭ર):–શાદીના પ્રસંગે ઘરમાં રેડિયો તેમજ બહાર માઈક મુકવામાં આવે છે તેમજ ત્યાં દુલ્હા–દુલ્હનના ફોટા લેવામાં આવે છે,પોતાના ભાઈને ત્યાં આવા પ્રસંગે જવું કે કેમ ? ન જવાથી સગા–વહાલામાં કડવાશ પેદા થાય છે.

જવાબ(૪૬ર–૭ર):–શાદી જેવા શુભ પ્રસંગોએ પણ રેડિયોના ગાયનો વગાડવા તથા ફોટા પડાવવા હરામ છે. જે અંગે સખ્ત વઈદો છે. ગાયન સાંભળવાથી દિલમાં કુફ્ર ઉગે છે. એ શેતાની આવાઝ છે,જેનાથી રહમત અટકી જાય છે.  (મિશ્કાત શરીફ,૩૮પ)

                ઉપરોકત ખરાબીઓને શકય હોય ત્યાં સુધી રોકવી જોઈએ,એટલે કે હાથથી અટકાવી શકતાં હોય તો હાથથી અટકાવવી જોઈએ, નહિં તો જીભથી. અને ઝુબાનથી પણ ન રોકી શકતા હોય તો એવી બાબતને દિલથી બુરૂ–ખરાબ માનવું જોઈએ,અને (આ છેલ્લી બાબત) અશકત ઈમાન છે.

(મુસ્લિમ શરીફઃ૧/પ૧)

                જો તમારા ન જવાથી ઈસ્લાહની ઉમ્મીદ હોય તો જવું નહિં,ભલે ને કડવાશ વધે ! એ બુગ્ઝ લિલ્લાહ લેખાશે. નહિંતર દિલથી બુરૂ જાણી નિકાહ ખાનીમાં શરીક થાઓ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.