રિલીફ ફંડમાં સદકએ ફિત્ર આપવો.

Chapter : સદકએ ફિત્ર વિષે

(Page : 259)

સવાલ(૩૭૦–૧૬):– અમારા પાસે ફિત્રાની થોડી રકમ જમા થઈ છે,એ રકમ વિષે કેટલાક કહે છે કે ફલાણાં ફંડમાં આપવામાં આવે,ત્યાં કુદરતી રીતે આફતો ઉતરી અને ત્યાં દરેક કૌમના લોકો બરબાદ થયા છે,તેમની મદદ આ રકમથી કરવી જોઈએ,અમૂક માણસો ના પાડે છે,તો હવે શું કરવું એનો ખુલાસો આપશો.

જવાબ(૩૭૦–૧૬):– ઝકાત,સદકએ ફિત્રના હકદાર મુસલમાન ફકીરો વિગેરે છે,એટલા માટે જો મજકૂર ફંડમાં એવો બંદોબસ્ત થઈ શકતો હોય કે ફિત્રાની રકમ,મુસીબતઝદા મુસલમાનો પર જ ખર્ચ કરે અને એમને જ એ ફિત્રાની રકમમાંથી આપે તો ફિત્રાની રકમ મજકૂર ફંડમાં દેવી જાઈઝ છે. અને જો મજકૂર ફંડમાં એનો બંદોબસ્ત નહિં થઈ શકે અને તે દરેક મુસીબત ઝદાની ઈમદાદ કરતો હોય તો ગૈર મુસ્લિમને ફિત્રાની રકમ દેવાથી ફિત્રો અદા થતો નથી એટલા માટે મજકૂર ફંડમાં દેવું સહીહ નથી.

                ગૈર મુસ્લિમ મસીબતઝદાઓની ઈમદાદ નફલી ખૈરાતોમાંથી કરવી સવાબનું કાર્ય છે,પરંતુ ઝકાત,સદકો તેઓને આપવાથી ઝકાત અને સદકો અદા થશે નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/૧૯૧. હિદાયાઃ ૧/ર૦૮)

Log in or Register to save this content for later.