રમઝાન અને ઈદના ચાંદ વિષે.

Chapter : રોઝહ

(Page : 252)

સવાલ(૩પ૬–ર):–  રમઝાન અને ઈદના ચાંદ જોવા વિષે શું હુકમ છે ? કેટલા માણસની ગવાહીથી  સાબિત થશે ?

જવાબ(૩પ૬–ર):–રમઝાનનો ચાંદ જો આકાશ સાફ ન હોય તો એક મો’તબર (દીનદાર) ની ગવાહીથી સાબિત થશે, ઈદના ચાંદ માટે એ હાલતમાં બે ગવાહો જરૂરી છે; અને જો આકાશ સાફ હોય તો એટલી મોટી જમાઅતની ગવાહી હોવી જોઈએ કે તેઓ સંપ કરી જુઠ બોલી રહયા છે એવી બદગુમાની ન થઈ શકે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામીઃ૩/૩૬૦ તથા ૩૬૧, હિદાયાઃ ૧/ર૧૩ થી ર૧૬)

Log in or Register to save this content for later.