Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.
(Page : 284)
સવાલ(૪રપ–૩પ):–એક માણસે પોતાની નાનીનું દૂધ પીધુ હતું, હવે એ માણસના નિકાહ પોતાની સગીખાલા (રઝાઈ બહેન) ની છોકરી (દૂધ પીવડાવનારની નવાસી) સાથે જાઈઝ છે કે નહિં ? જો હરામ હોય અને નિકાહ થઈ ગયા હોય તો શું હુકમ છે ? નિકાહને રપ (પચ્ચીસ) વર્ષ થઈ ગયા છે, અને ચાર છોકરા પણ છે બે છોકરીઓની તો શાદી પણ થઈ ગઈ છે, અને તેમને પણ બાળકો છે,મસ્અલાની ખબર ન હતી જેથી આ પ્રમાણે થયું છે, હવે એ માણસ શું કરે ? તેની ઔલાદનું નસબ તેનાથી સાબિત છે કે નહિં ? એ ઔલાદ તેની વારિસ થશે કે નહિં ? જો એ માણસ,નિકાહ જાઈઝ ન હોવાની શકલમાં પોતાની રઝાઈ ભાણેજ થવાથી પોતાના પાસે એક ઘરમાં રાખવા ચાહે તો રાખી શકે કે નહિં ?
જવાબ(૪રપ–૩પ):–બહેનની ઔલાદ અને ઔલાદની ઔલાદ ભાઈ પર હરામ છે,અને આ સગાઈની સૂરતમાં નસબ અને રિઝાઅ (દૂધ પીવડાવવાથી સાબિત થતી સગાઈ) નો એક જ હુકમ છે, પુછેલી સુરતમાં ખાલા (માસી) કેમકે રઝાઈ બહેન પણ છે એ માટે તેની છોકરીથી નિકાહ થઈ શકતા નથી,એ માટે મજકૂર નિકાહ બાતિલ થયા. મુફતીયોએ એજ કથનને તર્જીહ (પ્રાધાન્ય) આપેલ છે, અને બાતિલ નિકાહમાં નસબ સાબિત થતુ નથી,એટલા માટે એ નિકાહની બધી ઔલાદનું નસબ સાબિત થતું નથી, એટલા માટે તેઓ વારિસ પણ થશે નહિં, તેણીને તુરત જ નિકાહમાંથી જુદી કરવું જરૂરી છે,અને તેણીને પોતાના સાથે એકજ ઘરમાં રાખવાનો બિલકૂલ અધિકાર નથી,જુદા ઘરમાં તેણીને રાખે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
(ઈમ્દાદુલ ફતાવાઃ ર/પ૧૪ તથા પ૧પ. શામીઃ ૪/૧૦૧ તથા ૧૦પ)
Log in or Register to save this content for later.