યહૂદી અને નસરાની સ્ત્રીઓ સાથે નિકાહ.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.

(Page : 280)

સવાલ(૪૧૯–ર૯):–આજ કાલ કેટલાક લોકો, યહૂદી અને નસરાની સ્ત્રીઓ સાથે શાદી કરે છે,અને એમ માનવામાં આવે છે કે તેણી પોતાના દીન ઉપર રહે અને મુસલમાન શાદી કરનાર પોતાના દીન ઉપર રહે,તો આ માન્યતા ખરી છે કે ખોટી ?

જવાબ(૪૧૯–ર૯):–એહલે કિતાબ (આસમાની કિતાબ માનનાર) સ્ત્રી ખરી રીતે પોતાના દીન ઉપર કાયમ હોય તો બેશક તેણી સાથે નિકાહ કરવા જાઈઝ છે,પરંતુ આજ કાલની એહલેકિતાબની સ્ત્રીઓ વિષે આલિમોનો આ મત છે કે તેઓ પોતાના દીન ઉપર કાયમ નથી,તેઓ નાસ્તિક છે,તેથી તેને મુસલમાન કર્યા વગર નિકાહ કરવા જાઈઝ નથી,મુસલમાન બનાવી નિકાહ પઢવામાં આવે તો વાંધો નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૪/૧રપ તથા ૧૩૪)

Log in or Register to save this content for later.