Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 63)
મસ્અલહ : મસ્જિદનું છાપરું યા ધાબું મસ્જિદના જ હુકમમાં છે. એટલા માટે મુઅતકિફ મસ્જિદના છાપરા યા ધાબા પર જઇ શકે છે. શર્ત એ કે દાદર મસ્જિદની અંદર હોય. જો દાદર મસ્જિદની બહાર હોય તો પછી જવું જાઇઝ નથી. (બહરુર્રાઇક : ર/૩૦૩)
મસ્અલહ : મસ્જિદની બધી સરહદ ઉરફન (લોકરૂઢિ અનુસાર) મસ્જિદ જ કહેવાય છે, પરંતુ એતિકાફના બયાનમાં જ્યાંમસ્જિદનો શબ્દ આવે છે તેનાથી મુરાદ તે જગા હોય છે, જ્યાંજે સિજદહ કરવા અને નમાઝ પઢવા માટે ની થઇ હોય છે. અર્થાત મસ્જિદનો અંદરનો ભાગ અને ખુલ્લો ભાગ અને સહન. આમ સમે કે મસ્જિદમાં જે જગા પર વુઝૂ કરી શકતા નથી, નાપાકીની હાલતમાં જઇ શકતા નથી તે જગા મુરાદ છે. સામાન્ય રીતે જ્યાંસુધી મસ્જિદની સહન કહેવાય છે ત્યાં સુધી મસ્જિદની સીમા હોય છે. (બહરુર્રાઇક : ર/પર૬)
Log in or Register to save this content for later.