Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 56 to 57)
મસ્અલહ : અઝાન દેવાની જગા, દા. ત. મિનારો યા મેહરાબ વગેરે મસ્જિદની અંદર છે તો તો મુઅતકિફ મુઅઝઝિનને અઝાન માટે ની કર્યો હોય યા ન કર્યો હોય, દરેક હાલતમાં અઝાન દેવા માટે તે જગાએ જવું શક કર્યા વગર જાઇઝ છે અને અઝાન સિવાય બીજા કોઇ મકસદ માટે તે જગાએ જવું, દા. ત. ખાવા–પીવા, સૂવા, બેસવા માટે જવું પણ જાઇઝ છે. (બદાઇઅ : ર/ર૮ર)
મસ્અલહ : અઝાન દેવાની જગા, દા. ત. મિનારો, રૂમ યા મહેરાબની નકમાં કોઇ જગા ની હોય, જે મસ્જિદની બહાર છે, પરંતુ તેમાં જવાનો દરવો મસ્જિદની અંદરથી છે તો મુઅતકિફ મુઅઝઝિને ફકત અઝાન દેવા માટે જવું અથવા બીજી કોઇ ગરજે જવું જાઇઝ છે. (શામી : ૩/૩૮૮)
મસ્અલહ : અઝાન દેવાની જગા, દા.ત. મિનારો યા રૂમ વગેરે મસ્જિદની બહાર છે, અને તેમાં જવાનો દરવાજો અને રસ્તો પણ મસ્જિદની બહાર છે, તો મુઅતકિફ મુઅઝઝિને અને ગેર મુઅઝઝિને ફકત અઝાન દેવા માટે જવું જાઇઝ છે. અઝાન સિવાય બીજી કોઇ ગરજે દા. ત. ખાણું ખાવા, સૂવા–બેસવા અને હવા ખાવા માટે મુઅતકિફ મુઅઝઝિને અને ગેર મુઅઝઝિને એતિકાફની હાલતમાં તે જગાએ જવું જાઇઝ નથી અને મુઅતકિફ મુઅઝઝિને પણ અઝાન આપી તરત પાછા આવી જવું. (શામી : ૩/૩૮૮)
મસ્અલહ : ઉપરોકત મિનારા પર જવાના જે મસાઇલ લખ્યા છે તેમાં જે હુકમ બયાન કરવામાં આવ્યો છે, તે મસ્નૂન અને વાજિબ એતિકાફ માટે છે. નફલી એતિકાફવાળો તે જગા પર દરેક સમયે જઇ શકે છે. (આલમગીરી : ૧/ર૧૩)
Log in or Register to save this content for later.