Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 64)
મસ્અલહ : મસ્જિદની સહન સિવાય જેટલી જગા મસ્જિદની બી જરૂરતો માટે ની થઇ છે, દા. ત. વુઝૂ કરવાની જગા, વુઝૂના નળ, નાળીઓ, વુઝૂ માટે બેસવાની જગા, ગુસલખાનું, ઇમામ–મુઅઝઝિનનો રૂમ, જનાઝહગાહ, જે વરંડો નમાઝ પઢવા સિવાય બી કોઇ નિય્યતથી બનાવ્યો હોય, ભોંયતળિયું, બચ્ચાંઓની તા’લીમગાહ, મસ્જિદનો મુખ્ય વેશાર યા બીજો કોઇ દરવો જ્યાંસુધી પગરખાં પહેરી જવાતું હોય અને આ બધાના છાપરાઓ, કોઇ પડતર પ્લોટ, આ પ્રકારની તે બધી જગા જે મસ્જિદની બી જરૂરત માટે યા નમાઝીઓના આરામ માટે બનાવવામાં આવી હોય, ભલેને તે મસ્જિદની સીમામાં હોય, પરંતુ મુઅતકિફ માટે મસ્જિદના હુકમમાં હોતી નથી. આ બધી જગાઓ પર મુઅતકિફે જવું જાઇઝ નથી. હા, શરીઅતે જરૂરતના સમયે જવાની છૂટ આપી હોય, જેમ કે વુઝૂ કરવું, પેશાબ–પાખાના કરવું, નાપાકીનું ગુસલ કરવું, આ બધાં કામ માટે જરૂરત માણે જાઇઝ છે.(દુર્રે મુખ્તાર : ૩/૩૮૭, મિઉર્રુમૂઝ : ૩૭૮)
મસ્અલહ : મસ્જિદની સહનમાં હોઝ બનાવેલી હોય છે ત્યાં પણ વુઝૂ કરવા માટે તો જઇ શકે છે, પરંતુ બીજા કોઇ કામ અર્થે દા. ત. ખાધા પછી હાથ ધોવા, કોગળો કરવા, ખાવાનાં વાસણો ધોવા માટે જવું જાઇઝ નથી, આ જ હુકમ દરેક વુઝૂની જગાએ જવાનો છે. (મિઉર્રુમૂઝ : ૩૭૮)
મસ્અલહ : ઇદગાહ અને જનાઝહગાહમાં એતિકાફ કરવો દુરુસ્ત નથી. (મિઉર્રુમૂઝ : ૩૭૭)
ખાસ હિદાયત
ઉપરોત જે જગાઓ પર મુઅતકિફે શરઇ અને કુદરતી જરૂરત વિના જવું જાઇઝ નથી તે જગાઓને વારંવાર પૂરા ધ્યાનપૂર્વક પઢે. ઘણી વખત મુઅતકિફ હઝરાત બેધ્યાની અને મસાઇલથી અજાણતાના કારણે ત્યાં કયારેક હાથ ધોવા, કોગળા કરવા, નાક સાફ કરવા, વાસણો ધોવા અને આ રીતે બીજા અલગ–અલગ કામો માટે ચાલ્યા જાય છે, જેનાથી તેમનો એતિકાફ ફાસિદ થઇ જાય છે અને તેનું ઇલ્મ પણ હોતું નથી. યાદ રાખો ! શરઇ અને કુદરતી હાજત સિવાય મજકૂર જગાઓ પર ચાલ્યા જવું, ભલેને ફકત એક મિનિટ માટે હોય તેનાથી એતિકાફ ફાસિદ થઇ જશે.
Log in or Register to save this content for later.