Chapter : હજના વિવિધ મસાઈલ
(Page : 266)
સવાલ(૩૮૭–૧૭):– એક ભાઈનું કહેવું છે કે હાલમાં જે હજ્જ થાય છે તે મિસરી તારીખ મુજબ થાય છે,તો શું આ વાત ખરી છે ?
જવાબ(૩૮૭–૧૭):– એ ભાઈની વાત,ચાંદ જોયા વિના મિસરી તારીખ મુજબ હજ્જ થવા બાબત ખોટી છે,તહકીક (તપાસ) કર્યા વગર ખોટી વાત સાંભળી નકલ કરી છે,હકીકત એમ નથી,ત્યાંની ગવર્મેન્ટ ચાંદ જોવાની પુરી વ્યવસ્થા કરે છે,ચાંદ જોયા પછી એ’લાન થાય છે,અને તારીખ નવમી જિલહજ્જના રોજ સુન્ની મઝહબ મુજબ હજ્જ થાય છે,જો એ બાબત સંપુર્ણ કાળજી રાખવામાં આવે નહિં તો લાખોની હજ્જ ફાસિદ થઈ જાય,મકકહ મુકર્રમહ પશ્ચિમમાં હોવાથી અહિંયા કરતાં ચાંદ એક દિવસ અગાઉ દેખાય છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.