Chapter : નિકાહ સહીહ થશે.
(Page : 290)
સવાલ(૪૩૮–૪૮):–મોહર્રમ મહીનામાં આશુરા બાદ (દસમાં ચાંદ પછી) શાદી કેટલા દિવસ પછી કરી શકાય ? અને કયાં સુધી શાદી થઈ શકે ? શરીઅત શું કહે છે ?
જવાબ(૪૩૮–૪૮):–મોહર્રમ માસમાં શાદી મના અથવા મનહૂસ જાણવી અજ્ઞાનતા છે,આશુરામાં પણ કરી શકે છે, કોઈ વસ્તુ કે દિવસ માસમાં શરીઅત મનહૂસ માનતી નથી,શહીદે કર્બલા હઝરત ઈમામ હુસૈન (રદિ.) ના શોકમાં પણ શાદી ન કરવી એ પણ જહાલત છે,પત્નિ સિવાય ત્રણ દિવસથી વધુ શોક પાડવો કોઈના માટે ઓરત સિવાય જાઈઝ નથી. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(હિદાયાઃ ર/૪ર૭)
Log in or Register to save this content for later.