મહેર નકકી કર્યા વિના નિકાહ કરવા.

Chapter : મહેરનું વર્ણન

(Page : 304)

સવાલ(૪૭૦–૮૦):–ઓરતે બે ગવાહો સમક્ષ,પોતાની જાત એક પુરૂષને બક્ષી આપી અને પુરૂષે તે કબૂલ કરી, તો તે સમયે મહેર નકકી કરવાની જરૂરત હોય છે કે કેમ ?

જવાબ(૪૭૦–૮૦):–મહેર બાંધવી શર્ત નથી,એટલે મહેર વિના જાત બક્ષીથી નિકાહ થઈ જશે, પરંતુ ધણી ઉપર મેહરે મિસ્લ (સ્ત્રીના કુંટુંબમાં જે મહેર ચાલતી હશે તે મેહરે મિસ્લ કહેવાય) વાજિબ થશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(હિદાયાઃ  ર/૩ર૩ તથા ૩ર૪)

Log in or Register to save this content for later.