મહેરનું પ્રમાણ કેટલુ હોવું જોઈએ ?

Chapter : મહેરનું વર્ણન

(Page : 306)

સવાલ(૪૭૬–૮૬):–શરીઅતની દ્રષ્ટિએ મહેર કેટલી હોવી જોઈએ ?

જવાબ(૪૭૬–૮૬):–આપણાં હનફી મઝહબમાં ઓછામાં ઓછી મહેર દસ દિર્હમ વઝન ચાંદી છે,જેની કિંમત આજે લગભગ રૂા. ૧પ,પ૦ અંકે પંદર રૂપિયા અને પચાસ પૈસા થાય છે,વધુ મહેરની કોઈ હદ નથી,જેટલી ઈચ્છે એટલી મહેર નકકી કરે,પંરતુ મહેર વધુ હોવાની ફખ્ર (મોટાઈ) ની વાત નથી, અઝવાજે મુતહહરાત રદિ. (અલ્લાહના રસૂલ સ.અ.વ. ની પવિત્ર બીબીઓ) માં હઝરત ઉમ્મે હબીબહ (રદિ.) સિવાય તથા આપની લડકીઓમાંથી કોઈની પણ મહેર પાંચસો દિર્હમ વઝન ચાંદીથી વધારે ન હતી, હઝરત ફાતિમાં (રદિ.) ની મહેર પણ પાંચસો દિર્હમ ચાંદી હતી,જેની કિંમત બજારમાં આજે લગભગ રૂા. ૮રપ/– અંકે રૂપિયા આઠસો પચ્ચીસ થાય છે,સર્વેએ એનુંજ અનુકરણ કરવું જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(મિશકાત શરીફ,ર૭૭ )

Log in or Register to save this content for later.