Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 66)
મસ્અલહ : મસ્જિદની ભીંતો જેના પર મસ્જિદની ઇમારત કાયમ છે, મસ્જિદના હુકમમાં છે. એટલા માટે દીવાલમાં કોઇ મહેરાબ, ગોખલો, અલમારી (કબાટ) યા બારીઓ બનાવી હોય યા લાઉડ સ્પીકર લગાવ્યું હોય તો આ જગાઓ પર મુઅતકિફે એતિકાફની હાલતમાં જવું જાઇઝ છે. (બહરુર્રાઇક : ર/પર૬)
મસ્અલહ : મસ્જિદની જે દીવાલ અલગ બની હોય યા તેના વિશે શક હોય કે ખબર નહિ મસ્જિદના સ્થાપકે તેને મસ્જિદમાં શામિલ કરી છે યા નહિ યા દીવાલ તો ન હોય, બલકે બીજી કોઇ એવી જગા હોય જેના વિશે શક હોય કે માલૂમ નહિ, આ મસ્જિદમાં શામિલ છે યા નહિ, તો જ્યાં સુધી તપાસ ન કરી લો કે આ મસ્જિદમાં શામિલ છે ત્યાં સુધી જવું જાઇઝ નથી. (ઇમ્દાદુલ ફતાવા : ર/૧પ૩)
Log in or Register to save this content for later.