Chapter : હજ્જે બદલના અહકામ
(Page : 260)
સવાલ(૩૭ર–ર):– મારા વાલિદ સા.ગુજરી ગયા છે, તેમના તરફથી કોઈ વસિય્યત નથી કે મારા તરફથી હજ્જ કરાવશો,પરંતુ મારો પોતાનો ઈરાદો છે કે તેમના વતી હજ્જ કરી સવાબ તેમને પહોંચાડું,જેથી મારે એહરામ માટે કેવી નિય્યત કરવી ? એહરામ પ્રથમ હું મદીનહ મુનવ્વરહ જઈ ત્યાંથી પછી મકકહ મુકર્રમહ જઈશ, તો મારે કેટલા દિવસ સુધી એહરામ બાંધી રાખવો જોઈએ ?
જવાબ(૩૭ર–ર):– જયારે તમારા મર્હૂમ વાલિદ સાહબે હજ્જ વિષેની વસિય્યત કરી નથી તો તમારા ઉપર હજ્જે બદલ વાજિબ નથી, છતાં મર્હૂમને સવાબ પહોંચાડવા કરો તો સારી વાત છે. અલ્લાહ તઆલાની રહીમ જાતથી ઉમ્મીદ છે કે મર્હૂમ તરફથી હજ્જ કબૂલ કરશે,મર્હૂમના તરફથી હજ્જની નિય્યત કરવાની એહરામ બાબત તમને ઈખ્તિયાર છે, હજ્જે કિરાન અથવા હજ્જે તમત્તુઅ અને હજ્જે ઈફરાદ કરવાનો ઈખ્તિયાર છે,જો મદીનહ મુનવ્વરહ, પહેલાં જવાનો ઈરાદો હોય તો મદીનહ મુનવ્વરહથી પાછા ફરતાં મદીનહ મુનવ્વરહના મીકાત (જુલ્ હુલૈય્ફહ) થી એહરામ બાંધવો પડશે. હજ્જ માટે થોડાક દિવસો બાકી રહયા હોય તો કિરાનની નિય્યત કરી લેવી,નહિંતર તમત્તુઅની નિય્યત કરવી. સહુલત જણાય તેવો એહરામ બાંધી લેવો, કારણ કે આ હજ્જે બદલ વાજિબ નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ૪/૧૬)
Log in or Register to save this content for later.