Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 91)
શું ફરમાવે છે ઉલમાએ કિરામ અને મુફતિયાને કિરામ આ મસ્અલહમાં કે એક હાફિઝ સાહેબ એક મસ્જિદમાં એતિકાફમાં બેસેલા છે, પરંતુ તેમને કુર્આને મજીદ સાંભળવા માટે નજીકની બીજી મસ્જિદમાં જવું પડે છે, તો શરીઅતની રૂએ તેમને જવાની ઇજાઝત છે યા નહિ ? ફતાવા દારુલ ઉલૂમ દેવબંદના હવાલાથી જણાય છે કે મુઅતકિફ હાફિઝ સાહેબને આવું કરવાની ઇજાઝત છે.
તદુપરાંત, ફતાવા આલમગીરીના અધ્યયનથી માલૂમ થાય છે કે ઇલ્મની મજલિસોમાં મુઅતકિફ શખ્સ હાજરી આપી શકે છે. આ હવાલાઓથી માલૂમ થાય છે કે હાફિઝ સાહેબ કુર્આને મજીદ સાંભળવા માટે બીજી મસ્જિદમાં જઇ શકે છે, પરંતુ અમારા ઇલાકાના એક આલિમ સાહેબ ફરમાવે છે કે, મુઅતકિફ હાફિઝ સાહેબને બીજી મસ્જિદમાં કુર્આને મજીદ સાંભળવા માટે જવાની ઇજાઝત નથી. આ મસ્અલહની સમજૂતી દલીલોની રોશનીમાં કરશો અને સાથે ફિકહી કિતાબોનો હવાલો પણ આપશો.
સવાલ પૂછનાર
મવલાના અબ્દુસ્સબૂર મદની
મુદર્રિસ : મદની મસ્જિદ જામિઅહ અરબિય્યહ અમીના,
સરાએ આલમગીર, જિ. ગુજરાત
અલ જવાબ–હામિદંવ વ મુસલ્લિયા…….
સવાલ પૂછનારે આલમગીરીના હવાલાથી જે જુઝઇય્યહ (મસ્અલાના અંશ)નો ઉલ્લેખ કર્યો છે અને તેને પોતાના મસ્અલહની દલીલ બનાવી છે એ દુરુસ્ત નથી, કેમ કે આલમગીરીના હવાલાનો સંબંધ તે મન્નત માનેલા એતિકાફથી છે, જેમાં કોઇએ મન્નત માનતી વેળા કોઇ ઇલ્મની મજલિસમાં હાજર થવાને અને જનાઝહ પઢવા માટે મસ્જિદથી નીકળવાને અલગ કર્યુ છે, પરંતુ જ્યાં સુધી રમઝાનુલ મુબારકના અશર–એ– અખીરહમાં એતિકાફે મસ્નૂનનો સંબંધ છે, તો તેમાં આ કામોને અલગ કરવાની અને અલગ કરવાની સૂરતમાં આ કામો માટે મસ્જિદની બહાર નીકળવાના જાઇઝ હોવાની ફિકહની કિતાબોમાં કોઇ સમજૂતી મળતી નથી. એટલા માટે જો કોઇ મસ્નૂન એતિકાફમાં આ પ્રકારની છૂટછાટ લે તો તે મસ્નૂન એતિકાફ રહેશે નહિ, બલકે નફલ થઇ જશે. પૂછેલી સૂરતમાં કોઇએ રમઝાનુલ મુબારકના મસ્નૂન એતિકાફમાં બીજી જગાએ કુર્આને મજીદ સાંભળવા માટે ફરજિયાત કર્યુ છે તો જવાના દિવસે જ તેનો એતિકાફે મસ્નૂન તૂટી જશે, જેની ભરપાઇની સૂરત આ છે કે જે દિવસે એતિકાફ તૂટયો છે ફકત તે જ દિવસના એતિકાફે મસ્નૂનની કઝા નફલી રોઝહ સાથે કરે.
(૧) ઉપર્યુકત મસ્અલહની શોધ (અને વધુ જાણકારી) માટે હઝરત મવલાના ઝફર અહમદ ઉસ્માની (નવ્વરલ્લાહુ મરકદહૂ)ની તફસીર ”અહકામુલ કુર્આન : ૧/ર૭૩” પર જુઓ.
(ર) હઝરત મવલાના મુફતી રશીદ અહમદ (રહમતુલ્લાહિ અલયહ) ”અહસનુલ ફતાવા : ૪/૪૯૯”માં લખે છે : ”એતિકાફની મન્નતમાં જનાઝહની નમાઝ, બીમારપુર્સી અને ઇલ્મની મજલિસમાં હાજરી માટે નીકળવાને અલગ પાડવું સહીહ છે અને નીકળવું જાઇઝ છે. શર્ત એ કે મન્નતની જેમ અલગ પાડવું પણ જબાનથી કર્યુ હોય, ફકત દિલથી નિય્યત કાફી નથી, પરંતુ મસ્નૂન એતિકાફમાં આ નિય્યત કરી તો તે નફલ થઇ જશે.”
(૩) શૈખુલ ઇસ્લામ હઝરત મવલાના મુફતી મુહમ્મદ તકી ઉસ્માની (દા.બ.) ”અહકામે એતિકાફ” નામી પુસ્તિકાના પૃષ્ઠ નંબર–૬૬ પર લખે છે : ”પ્રથમ વાત તો આ છે કે આ મસ્અલહ મન્નત માનેલ એતિકાફમાં દુરુસ્ત છે કે, મન્નત વખતે આ વસ્તુઓને અલગ પાડવી ભરોસાપાત્ર છે. જ્યાં સુધી અહકરે તલાશ કરી તો છૂટછાટનો કેવળ ફતાવા આલમગીરીની ઇબારત (લખાણ)માં ”વકતુન્નઝરિ”નો શબ્દ બતાવી રહયો છે કે મુરાદ મન્નત માનેલ એતિકાફ છે. તદુપરાંત, આગળ બે–ત્રણ મસ્અલહ બયાન કર્યા પછી લખે છે : (વ હાઝા કુલ્લુહુ ફિલ એતિકાફિલ વાજિબિ, અમ્મા ફિન્નફલિ ફ–લા બાસ બિ–અંય યખરુ–જબિ–ઉઝરિન વ ગયરિહી) આથી મા’લૂમ થાય છે કે, મજકૂર મસ્અલહ મન્નત માનેલ એતિકાફના સંબંધિત છે અને મસ્નૂન એતિકાફનો હુકમ અહિંયા બયાન કર્યો નથી.
આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી આ પ્રકારની કોઇ છૂટછાટ સાબિત નથી. એટલા માટે મસ્નૂન એતિકાફમાં છૂટછાટના સહીહ હોવા માટે અલગ દલીલ જોઇએ, જે મફકૂદ (દુર્લભ) છે. એટલા માટે એતિકાફને મસ્નૂન તરીકા પર અદા કરવા માટે છૂટછાટની ગુંઇશ જણાતી નથી. સ્પષ્ટ છે કે જો કોઇ માણસ મસ્નૂન એતિકાફ શરૂ કરતી વેળા આ નિય્યત કરે તો પછી તેનો એતિકાફ મસ્નૂન રહેતો નથી, બલકે નફલ બની જશે અને જેટલી વાર મસ્જિદની બહાર રહેશે તેટલી વાર એતિકાફ ગણાય નહિ.
અલ્લાહ તઆલા વધુ જાણકાર છે.
(હઝ. મવ. મુફતી) અ. રઊફ સખ્ખરવી (દા. બ.)
Log in or Register to save this content for later.