પિતરાઈ ભત્રીજાના નિકાહ પિતરાઈ ફોઈ સાથે.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 270)

સવાલ(૩૯૪–૪):–અહમદ,હનીફાનો પિત્રાઈ ભત્રીજો થાય છે, તો હનીફાના લગ્ન પિત્રાઈ ભત્રીજા સાથે થઈ શકે કે નહિં ? સગા અથવા સાવકા અથવા મત્રાઈ ભત્રીજા સાથે લગ્ન થઈ શકે કે નહિં ?

જવાબ(૩૯૪–૪):–એ નિકાહ (અહમદના હનીફા સાથે) કોઈ પણ વાંધા વિના દુરૂસ્ત છે,કારણ કે હનીફા,અહમદ માટે મોહર્રમાત (તે સ્ત્રીઓ જેમની સાથે નિકાહ હરામ હોય) માંથી નથી; અહમદ,હનીફાનો પિત્રાઈ ભત્રીજો થયો અને પિત્રાઈ ભત્રીજા સાથે નિકાહ દુરૂસ્ત છે,સગા અથવા સાવકા અથવા મત્રાઈ ભત્રીજા સાથે નિકાહ હરામ છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૪/૯૯. આલમગીરીઃ ૧/ર૭૩)

Log in or Register to save this content for later.