Chapter : શાદીમાં બિન ઈસ્લામી રિવાજો
(Page : 303)
સવાલ(૪૬૯–૭૯):–શાદી પ્રસંગે ભેટ તેમજ રોકડ નાણાં દુલ્હા તથા દુલ્હનને આપવામાં આવે છે,તો શું આ ભેટ તેમજ રોકડ નાણું આપવું જાઈઝ છે ? એક ભાઈને શાદી પ્રસંગે મળેલ ભેટ તેમજ રોકડ નાણાંમાથી બીજા ભાઈને હક લાગે કે કેમ ?
જવાબ(૪૬૯–૭૯):– ભેટ એટલે હદિયો,તોહફો જેનો બદલો ન લેવાના ઈરાદે આપવામાં આવે,પરંતુ આપણે ત્યાંના રિવાજ અને દસ્તુર મુજબ,શાદી તથા ખત્ના કે એવા બીજા પ્રસંગોએ જે લોકો આપે છે જો કે જાહેરમાં તેને ભેટ કહેવામાં આવે છે, પરંતુ ખરી રીતે જોતાં પાછું લેવાની નિય્યતથી આપવામાં આવે છે,આપનાર પણ યાદી રાખે છે કે ફલાણાને આ પ્રસંગે આટલા આપ્યા છે,ઉપરાંત જેને આપવામાં આવે છે તે પણ લિસ્ટ બનાવીને રાખે છે કે ફલાણાં એ મને આટલા આપ્યા છે,એટલે મારે પણ તેને ત્યાં કોઈ પ્રસંગ અનુસાર આપવા રહયા,જયારે કોઈ આપતું નથી તો તે વિષે ચર્ચા થાય છે કે ફલાણાં અમારૂ લઈ બેસી ગયા અને અમારે ત્યાં આપ્યું નહિં,એને જ ચાંદલો કહેવામાં આવે છે અને તે કર્ઝ સમાન થઈ જાય છે,અને એ કર્ઝનો વિષય બહું દૂર સુધી પહોચેં છે.
જે કોઈને ત્યાં આપીને મરણ પામેલ હોય તો તેના બધા વારસદારો તે ચાંદલાની રકમમાં ભાગીદાર ઠરે છે, ફરી તે કર્ઝ અદા થતુ નથી,જેણે લીધેલ છે તે કર્ઝદાર સમાન થઈ જાય છે,એટલે એ બાબત ઘણી જ ભયંકર અને નાજુક બની જાય છે,જો કોઈ ખરેખર પાછા લેવાની નિય્યત વિના રાજી ખુશીથી આપી દે તો તેમાં કંઈ વાંધો નથી,પરંતુ એવી વિચારસરણી ધરાવતો કોઈ એક જ હોય શકે છે,અને વધુ ભાગે તો પાછા લેવાની આશાએજ આપવામાં આવે છે,જેને આપ્યું હોય તેને જ શીરે રહેશે,બીજાને શીરે બોજ ન થશે,માટે આવો રિવાજ બંધ કરવો જરૂરી છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.