પરણિત સ્ત્રીને ભગાડી જનારની શિક્ષા.

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 309)

સવાલ (૪૮૩–૯૩) : એક માણસ એક પરણિત સ્ત્રીને ભગાડીને લઈ ગયો,તે સ્ત્રીનો ધણી હયાત છે,તે ભાઈ સ્ત્રી સાથે બે વર્ષ પછી ગામમાં પાછો ફર્યો, ઈસ્લામી રૂએ એની શું સજા છે ? એને સહકાર દેનાર ગુનેહગાર ગણાય કે નહિં ?

જવાબ (૪૮૩–૯૩) :–એવા અપરાધીની શિક્ષા,અહિંયા ઈસ્લામી હુકૂમતના અભાવે બાયકોટ સિવાય કંઈ નથી,એટલે એને જ્ઞાતબારો મુકવામાં આવે,તેની સાથે વ્યવહાર રાખવો નહિં જયાં સુધી રખાત સ્ત્રીને છોડે નહિં, ખરેખર ઉપરોકત કાર્ય (સ્ત્રીને ભગાડી લઈ જવું) એવું દુષ્ટ કાર્ય છે જેથી આખી કૌમ ઉપર અઝાબ ઉતરવાનો ભય છે, સર્વેએ બાયકોટનો સાથ દેવો જોઈએ,એને સહકાર દેનાર લોકો પણ સખ્ત ગુનેહગાર થશે, જેમકે કુર્આન શરીફમાં છે,  ‘‘વલા તઆવનુ અલલ ઈસ્મે વલ ઉદવાન  અર્થાત ગુનાહ અને ઝુલ્મના કાર્યોમાં પરસ્પર મદદ કરો નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(ફતાવા દારૂલ ઉલૂમ દેવબંદઃ૧ર/૧૮૧)

Log in or Register to save this content for later.