પરણિત સ્ત્રીનું અપહરણ અને તેની સજા.

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 310)

સવાલ (૪૮૪–૯૪)– એક મુસ્લિમભાઈ એક મુસ્લિમ પરણિત બહેનને ભગાડી લઈ ગયો, જે ૬ (છ)માસ પછી પોલિસ મારફતે પકડાયો,મજકૂર બહેનને ચાર–પાંચ મહીનાનો હમલ પણ છે,તો તેણીને અસલ ધણીને સુપરત કરવી ? અને બાળકનો જન્મ થાય તેને શું કરવું ? ભગાડી લઈ જનાર માણસને શું સજા આપવી ? મજકૂર બહેન પોતાના અસલી ધણી સાથે રહેવાનો ઈન્કાર કરે છે, તો શરીઅતની રૂએ તેનો શું ખુલાસો છે ?

જવાબ (૪૮૪–૯૪) સ્ત્રીહરણ મહાન ગુનોહ છે,ઈસ્લામી હુકૂમતમાં એવા દોષિત માટે સખ્ત સજા,સંગસાર કિંવા પથ્થરથી મારવું છે,પરંતુ એ સજા દારૂલ ઈસ્લામમાં લાગુ પડે છે. હિન્દુસ્થાન એ દારૂલ ઈસ્લામ નથી જેથી,તે માણસ સાચી તૌબહ કરે બે રકા’ત (સલાતુત્તવ્બહ)પઢી રડી રડીને ગુનાહોની માફી માંગો,અને ભવિષ્યમાં કદી એવો ગુનોહ કરશે નહિં,એવો પાકો ખુદાથી કરાર કરે.

                હમલ પુખ્ત થઈ ગયા પછી પડાવવો મના છે,જો તેણીનો ધણી હમલનો નકાર કરે નહિં કે હમલ મારો નથી તો ધણીનો કહેવાશે,નહિંતર ધણીથી નસબ સાબિત થશે નહિં,અને ઝિનાનું લેખાશે, જે તેણીને સોંપી દેવામાં આવશે,તેણીના નાસી જવાથી નિકાહ તુટતા નથી,જેથી એ બહેનને તેણીના ધણીને સુપરત કરી દેવામાં આવે,તેણી ધણી સાથે રહેવા ઈચ્છતી ન હોય તો ખુલઅ્‌ (માલના અવેજમાં તલાક લેવી) મારફતે છુટા છેડા કરાવી શકે છે, ધણીના તલાક આપ્યા વિના બીજા સાથે નિકાહ બાતિલ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

 (ફતાવા દારૂલ ઉલૂમ દેવબંદઃ૧ર/૧૮૧)

Log in or Register to save this content for later.