પત્નિ બીજી ઓરત કરવાથી રોકી શકે ?

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 312)

સવાલ (૪૯૦–૧૦૦) :– એક માણસની શાદી દસ વર્ષથી થવા છતાં કોઈ ઔલાદ નથી, જેથી બીજી શાદી કરવા ચાહે છે પરંતુ તેના ઘરના માણસો તથા તેની પત્નિ ના પાડે છે,તો શું કરવું ?

જવાબ(૪૯૦–૧૦૦) :– મજકૂર ભાઈની બીજી શાદીનું કારણ–ઔલાદ માટે યોગ્ય છે, નારાજ ન થવું જોઈએ, શરીઅતે ચાર ઓરતોની રજા આપી છે, આગલી ઓરતને સંતોષ આપે કે તારા બધા હકો પુરા કરાશે,અને તેનો વાયદો કરે અને વાયદાની પાબંદી કરે,આટલી બાંયધરી આપ્યા પછી આગલી ઓરતે રજા આપવામાં કોઈ વાંધો નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.