પતિનો પત્ર ન આવવો કે પૈસા ન મોકલવા.

Chapter : નિકાહ તુટશે નહિં.

(Page : 299)

સવાલ(૪૬૧–૭૧):–        છોકરો આફ્રિકામાં અને છોકરી દમણમાં રહે છે,બન્‍નેવના નિકાહ ટેલિફોનથી થયા છે, શાદી થઈને નવ મહિના થયા પરંતુ છોકરાનો એક પણ કાગળ કે પૈસા આવતા નથી,જેથી કહેવાવાળા કહે છે કે નવ મહિનાથી કાગળ વિગેરે ન આવવાથી છોકરી નિકાહમાંથી નીકળી ગઈ,તો એ વિષે શો ખુલાસો છે ?

જવાબ(૪૬૧–૭૧):– ફોન મારફતે શરઈ વિધીસર નિકાહ થયા બાદ તેણીના પતિ તરફથી પત્ર કે પૈસા ન આવવાથી નિકાહમાંથી નીકળશે નહિં. લોકોનું કહેવું ખોટુ અને દલીલ વિનાનું છે, નિકાહ બહાલ (કાયમ) રહેશે, છુટાછેડા વગર બીજા સાથે તેણીના નિકાહ દુરૂસ્ત નથી. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.