Chapter : શાદીમાં બિન ઈસ્લામી રિવાજો
(Page : 301)
સવાલ(૪૬૪–૭૪):–અમારે ત્યાં શાદીના પ્રસંગે કંગનો બાંધવાનો જુનો રિવાજ બાપ દાદાના સમયથી ચાલ્યો આવે છે,એ કંગનો બાંધ્યા પછી નકકી કરેલ ટાઈમ દર્મિયાન છોડવામાં આવતા નથી,અને નિકાહ વખતે હાથમાં કંગનો,નાળિયર અને કલગી હોવું જરૂરી છે,અમારા ગામના ઈમામ સા.આ કંગનો બાંધવા માટેનો સખ્ત વિરોધ કરે છે,અને કહે છે કે પરધર્મીઓનો રિવાજ છે,અને બિદઅત છે; અગર જો કંગનો બાંધે નહિં તો અમારા જમાઈ–દિકરી અને સગા વહાલાં નિકાહમાં શામિલ થાય નહિં અને નારાજ થઈ ચાલ્યા જાય,ત્યારે એ વિષે શરીઅતનો શું હુકમ છે ?
જવાબ(૪૬૪–૭૪):–તમારા ગામના ઈમામ સા.નું કથન ખરૂં છે, એ પ્રથા બિનમુસ્લિમોની છે,જે કામ અથવા રિવાજમાં પરધર્મીઓની મુશાબહત (મળતાપણું) થાય તે મના છે, ભલેને બાપ–દાદાથી એ રિવાજ ચાલ્યો આવતો હોય તેને ત્યાગી દેવો જોઈએ;
હદીષ શરીફમાં છે ‘‘મન તશબ્બહ બિકવ્મિન ફહુવ મિન્હુમ અર્થાત જે પરધર્મીઓની મુશાબહત કરશે તે તેમાંથી લેખાશે, જમાઈ અને સગાઓ ઉપરોકત રિવાજ તજવાથી કદાચ નારાઝ થઈ નિકાહમાં શરીક થશે નહિં,એ ભયથી ખરાબ રિવાજ ન છોડવો અને અલ્લાહ તઆલા તથા રસૂલુલ્લાહ (સ.અ.વ.) ને નારાજ કરવું એ મુસલમાન ની શાન નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.