નિકાહ વખતે દુલ્હાને કલિમાં ન પઢાવવા.

Chapter : નિકાહ સહીહ થશે.

(Page : 287)

સવાલ(૪૩ર–૪ર):–ઉમર કહે છે નિકાહમાં પાંચ કલિમાં પઢાવવા ફર્ઝ છે, અગર કલિમાં પઢાવવામાં નહિં આવે તો નિકાહ થશે નહિં. ઝૈદ કહે છે એ ખોટું છે,ઈજાબ અને કબૂલ બે ગવાહોના રૂબરૂ કરાવવાથી નિકાહ થઈ જાય છે,કલિમાં તો ફકત જહાલતના કારણથી પઢાવવાનો રિવાજ છે.

જવાબ(૪૩ર–૪ર):–ઝૈદનું કથન ખરૂં છે,જયાં સુધી કુફ્ર પુરવાર થાય નહિં કલિમાં પઢાવવા નિકાહમાં શર્ત નથી,બે ગવાહો સમક્ષ કેવળ ઈજાબ અને કબૂલથી નિકાહ થઈ જશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(ફતાવા દારૂલ ઉલુમઃ૭/પ૪ શામીઃ૪/૮૭ ઈમ્દાદુલ ફતાવાઃર/ર૩૬)

Log in or Register to save this content for later.