નિકાહ વખતે ચુપ રેહનાર સ્ત્રીના નિકાહ.

Chapter : નિકાહ સહીહ થશે.

(Page : 288)

સવાલ(૪૩પ–૪પ):–છોકરી નિકાહથી ખુશ ન હોય અને દિલથી નફરત કરતી હોય પંરતુ તેના માં–બાપ છોકરીને મજબૂર કરી નિકાહ પઢાવી સુપરત કરી આપે, શાદી પછી સંભોગ પણ થયો ન હોય,અને બાપના ઘેર એક વર્ષથી ચાલી આવે અને સાસરે જવાની ના પાડે, છોકરો પણ બોલાવવા રાજી નથી, છોકરી તથા તેના બાપ નાણાં લેવાથી દબાયલા હોવાથી તલાક લઈ શકે એમ ન હોય તો આ શાદી જાઈઝ છે ? છોકરીએ તલાક મેળવવી જરૂરી છે ? ઈદ્દતનો શું હુકમ છે ?

જવાબ(૪૩પ–૪પ):–નિકાહ વખતે તેણીનું ચુપ રહેવું અને નકાર ન કરવો એ રઝામન્દી લેખાશે જેથી દર્શાવેલ નિકાહ દુરૂસ્ત લેખાશે,તલાક મેળવ્યા વિના તેણી છુટી થશે નહિં,અને તલાક વિના બીજા નિકાહ કરી શકતી નથી, નિકાહ બાદ પતિ–પત્નિ એવા એકાંતવાસમાં મળયાં હોય કે જયાં સંભોગ કરવાથી કોઈ રૂકાવટ ન હોય,ભલે સંભોગ ન કર્યો હોય તેણી ઉપર તલાક બાદ ઈદ્દત વાજિબ છે. તેણી એક વર્ષથી બેઠી હોય તેનો એઅતેબાર નથી,ઈદ્દત તલાક પછી શરૂ થાય છે,સારાંશ કે ધણીથી તલાક મેળવી લઈ ઈદ્દત ગુજારીને બીજા સાથે નિકાહ પઢી શકે છે.ફકત  અલ્લાહપાક વધુ જાણનાર છે.

 (હિદાયાઃ ર/૩૧૪)

Log in or Register to save this content for later.