નાફરમાન ઓરત માટે શરીઅતનો હુકમ.

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 311)

સવાલ (૪૮૭–૯૭) :– જે ઓરત પોતાના ધણીની વાત માનતી ન હોય, ધણી જે કામ કરવા હુકમ કરે તેથી ઉલ્ટુ કરે,તથા સામો જવાબ આપે,અને ધણી તેણીની આ વર્તણુંકથી નારાજ રહે,એવી ઓરત માટે શુ સજા છે ? શરીઅતનો શું હુકમ છે ? ધણી શું કરે ? ઓરતને તલાક આપે કે નહિં ?

જવાબ  (૪૮૭–૯૭) :– ઓરત માટે જરૂરી છે કે ધણીની નાફરમાની ન કરે,દરેક રીતે પોતાના ધણીની તાબેદારી કરે,ધણીના હકો વિષે હદીષોમાં ઘણી જ તાકીદ વર્ણન કરવામાં આવેલ છે; અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે જે ઓરત એવી હાલતમાં મરણ પામે કે તેનાથી તેનો ધણી રાજી હોય તો તે જન્‍નતમાં જશે,

                એવી નાફરમાન ઓરત કે જે ધણીને નારાજ કરે તો તે જહન્‍નમ ખરીદે છે, ઘણી હદીષોમાં નાફરમાન ઓરત માટે સખ્ત તાકીદ આવેલ છે;

                ધણીને જોઈએ કે બનતા સુધી સબ્રથી કામ લે અને નિભાવ કરે અને તલાકમાં ઉતાવળ ન કરે,ઘણો મોટો બદલો પ્રાપ્ત થશે,પરંતુ લાચારીની હાલતમાં જયારે કે એવી નાફરમાન ઓરતથી નિભાવ થઈ શકતો ન હોય તો તલાક આપી દે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(જલાલૈનઃ પેજઃ૩૪/૩પ)

Log in or Register to save this content for later.