નપુંસક પુરૂષ સાથે નિકાહ કરવા.

Chapter : નિકાહ સહીહ થશે.

(Page : 291)

સવાલ(૪૪૦–પ૦):–કોઈ મુસ્લિમ બહેનના નિકાહ અજાણતાથી નામર્દ (નપુંસક) જે પત્નિના લાયક નથી તેના સાથે થયા હોય તો તે નિકાહ શરીઅત મુજબ ચાલુ રહે છે કે રદ બાતિલ ગણાય ? શરીઅત મુજબ તે ઓરત પોતાના નામર્દ પતિ પાસે તલાક માંગી શકે ? જો નામર્દ પતિ અને તેના વાલી તે ઓરતને તલાક આપવા માટે ના કહે તો તે ઓરત શરીઅત મુજબ શું કરે ?

જવાબ(૪૪૦–પ૦):–એ નિકાહ દુરૂસ્ત લેખાશે,રદ બાતિલ ગણાશે નહિં, આથી છુટાછેડા વિના તેણી બીજા પુરૂષ સાથે નિકાહ કરી શકતી નથી, સદરહુ ધણીએ,સમજીને ભલાઈથી છુટી કરી દેવી જોઈએ, છુટી ના કરે તો ખુલઅથી (માલ આપી તલાક લેવી) છુટાછેડા કરાવે,જો ખુલઅ કરવા રાજી ન હોય અને તલાક પણ દેતો ન હોય તો મુસ્લિમ જજની અદાલતમાં કેસ રજૂ કરે અને તલાક લઈ લે, મુસ્લિમ જજ ન હોય તો શરઈ પંચાયત સમક્ષ ફરિયાદ કરે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

 (કિફાયતુલ મુફતીઃ ૬/૧૩૩)

Log in or Register to save this content for later.