Chapter : શાદીમાં બિન ઈસ્લામી રિવાજો
(Page : 302)
સવાલ(૪૬૬–૭૬):–જયારે મુસલમાનોમાં શાદી થાય છે ત્યારે દુલ્હા– દુલ્હનના શરીરે હળદર લગાવવામાં આવે છે,અને દુલ્હાને મહેંદી લગાડવામાં આવે છે, દુલ્હાના હાથમાં નાળિયેર પકડાવવામાં આવે છે,જયારે બારાત જતી હોય છે ત્યારે રસ્તામાં કુવાઓ અને નદીઓ આવે છે તેમાં પણ નાળિયેર નાંખે છે,શું એ જાઈઝ છે ?
જવાબ(૪૬૬–૭૬):–શાદીના દર્શાવેલ રિવાજો, બિન મુસ્લિમો સાથે મળતાપણાંના લઈને મનાઈ છે. અમારી શાદી અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ની સુન્નત મુતાબિક હોવી જોઈએ,અલ્લાહના રસૂલ (સ.અ.વ.) અથવા સહાબા (રદિ.) અને અવ્લિયાએ કિરામ (રહ.) થી એવા રિવાજો સાબિત નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(ઈસ્લાહુર્રૂસૂમઃપેજઃ પર )
Log in or Register to save this content for later.