Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.
(Page : 280)
સવાલ(૪૧૮–ર૮):–એક હિન્દુ બહેન મુસલમાન થઈ પછી તેણે એક મુસલમાન પુરૂષ સાથે નિકાહ કર્યો, તેણીને ત્રણ બાળકો પણ થયા,પછી તેણીના ધણીએ ત્રણ તલાક આપી દીધી,પછી તે બહેન મુર્તદ થઈ ગઈ,પછી અલ્લાહે તેણીને હિદાયત આપી તો ફરી મુસલમાન થઈ ગઈ,હવે આ બહેન, મજકૂર ધણી જેણે ત્રણ કલાક આપી હતી તેના સાથે ફરીથી નિકાહ કરે તો હલાલાની જરૂરત છે કે નહિં,હલાલા વિના નિકાહ દુરૂસ્ત લેખાશે ?
જવાબ(૪૧૮–ર૮):–હલાલહ કરવું જરૂરી છે,મુર્તદ થવાથી (ઈસ્લામ ત્યજી બીજો ધર્મ ગ્રહણ કરવાથી) હલાલહનો હુકમ બાતિલ થશે નહિં,જેમકે શામીમાં વિગતવાર વર્ણન છે,સારાંશ કે હલાલહ વગર તેણી પહેલાં ધણી (ત્રણ તલાક આપનાર) માટે હલાલ થશે નહિં,કેવળ નિકાહ અથવા કફફારો કાફી નથી. એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
( હિદાયાઃ ર/૩૯૯)
Log in or Register to save this content for later.