તમત્તુઅ કરવાથી દમ વાજિબ થશે.

Chapter : હજના વિવિધ મસાઈલ

(Page : 267)

સવાલ(૩૮૯–૧૯):–  હમો રમઝાન શરીફમાં મકકહ મુકર્રમહ ગયા હતા,અને શવ્વાલ માસમાં મદીનહ શરીફની ઝિયારત માટે ગયા,મદીનહથી હમોએ પાછા ફરતી વખતે તમત્તુઅનો એહરામ બાંધ્યો હવે અમોને શું લાગુ પડશે ?

જવાબ(૩૮૯–૧૯):–  એ લોકો મકકી (મકકા વાસી) ના હુકમમાં ગણાશે, અને મકકી અથવા મકકીના હુકમમાં જે લોકો લેખાતા હોય તેમના માટે તમત્તુઅ કે કિરાન કરવાની મનાઈ છે, જો કરશે તો દમે જિનાયત (જાનવર જબહ કરવું) વાજિબ થશે,સારાંશ કે તેઓ એક દમ આપે, શુક્રિયહનો બીજો દમ વાજિબ થશે નહિં. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(ઝુબ્દતુલ મનાસિકઃ ર/૧૪. હિદાયાઃ ૧/ર૬૪)

Log in or Register to save this content for later.