Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 39)
વાજિબ ઝકાતને અદા કરવા માટે ચાંદના હિસાબ પ્રમાણે વરસ ગણવામાં આવશે, ન કે અંગ્રેજી કેલેન્ડર. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૩, ઝુબ્દતુલ ફતાવા : ૪/૪૯)
ચેતવણી : આ મસ્અલાને સારી પેઠે યાદ રાખવાની અને તેનો લિહાઝ રાખવાની જરૂરત છે, એટલા માટે કે વધુ પડતા માલદારો સહૂલત માટે સરકારી વરસના આરંભ અને અંત (માર્ચ–એપ્રિલ)ના રૂએ ઝકાતનો હિસાબ લગાવે છે અને કમરી વર્ષનો એ’તિબાર નથી કરતા, જેના કારણે શરઈ હિસાબ પૂરો થતો નથી. એટલા માટે ઝકાત કાઢનારાઓ પર જરૂરી છે કે તેઓ ચાંદની મહિનાની જે તારીખથી સાહિબે નિસાબ બન્યા છે, તે જ તારીખે દરેક વર્ષે પોતાની ઝકાતનો હિસાબ લગાવે.
Log in or Register to save this content for later.