Chapter : ઝકાત
(Page : 250)
સવાલ(૩પર–પ૭):– મદ્રસામાં ઝકાતની રકમ આવેલી છે,ગામના મદ્રસામાં બહારના તાલિબે ઈલ્મો નથી, હાલ મદ્રસામાં પગાર આપવા માટે પુરતી રકમ પણ નથી,તો હવે આ ઝકાતની રકમ હીલો કરી મદ્રસામાં લઈ શકાય કે નહિં ? અને હીલો થઈ શકતો હોય તો કેવી રીતે કરવો ?
જવાબ(૩પર–પ૭):– ઝકાતની અદાયગી માટે માલિક બનાવવું શર્ત હોવાથી મસ્જિદ મદ્રસામાં ઝકાત આપી શકાય નહિં,અલબત્ત સખત જરૂરતમાં (લાચારી કે ઝકાત વિના મદ્રસો બંધ થવાનો સખત ભય હોય તો) હીલાની છુટ છે,હીલાની રીત ગરીબને કર્ઝ આપી કહેવામાં આવે કે તુ મદ્રસા માં આપી દે,તારૂ કર્ઝ ભરપાઈ કરી દેવામાં આવશે,ઝકાતના પૈસા તેને આપી પછી કર્ઝ વસૂલી લેવામાં આવે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૩/૧૯૦ તથા ર૯૩ આલમગીરીઃ ૧/૧૭૦ ૧/૧૮૮)
Log in or Register to save this content for later.