Chapter : ઝકાત
(Page : 247)
સવાલ(૩૪પ–પ૦):–(અ) મારી પાસે મારા સગાએ મોકલાવેલ ઝકાતની રકમ હાલ આવી છે,અને સાથે કાગળમાં લખ્યું છે કે આ ઝકાતની રકમથી પરદેશ જનાર આપણાં સગાને સાઉદી આરબ ચઢાવશો,પણ તેના હાથમાં રકમ આપશો નહિં, કારણ કે એ ગમે ત્યાં ખર્ચ કરી લેશે, તો હું આપનાથી રેહબરી ચાહુ છુ કે મારે એને રકમ આપી માલિક બનાવવો કે કેમ?
(બ) એ ભાઈ હાલમાં ખાનગી નોકરી કરે છે,બે ભાઈ પરદેશ છે,એક ભાઈ દર માસે મદદ કરે છે,એ (મદદ કરનાર) ભાઈ પૈસાપાત્ર હોવાથી બીજાને ઝકાત આપે છે,એવા સંજોગોમાં મારા આ સગાની ઝકાતથી (હાથમાં આવ્યા વગર) હું પરદેશ જવા માટે કેવી રીતે મદદ કરી શકું ?
જવાબ(૩૪પ–પ૦):–(અ+બ) ઝકાતની અદાયગી માટે તમ્લીક (હકદારને માલિક બનાવવું) શર્ત છે, નહિં તો અદા થશે નહિં, જો વાપરી નાંખવાનો ભય હોય તો તેને કહેવામાં આવે કે કોઈની પાસેથી કર્ઝ લઈને પરદેશ જવાનો પ્રયાસ કર, તારૂં કર્ઝ ચુકવી દેવામાં આવશે, પછી ઝકાત તેને આપી કર્ઝ પરત કરી દે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(ઈમદાદુલ ફતાવાઃર/પ૦ શામીઃ ૩/ર૯૧. આલમગીરીઃ ૧/૧૭૦)
Log in or Register to save this content for later.