ઝકાતની ફર્ઝિયત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 33)

ઝકાતની ફર્ઝિય્યત માટે જરૂરી છે કે, આદમીમાં નીચેના ગુણો મોજૂદ હોય :

(૧) તે આઝાદ હોય (ગુલામ–બાંદી પર ઝકાત ફર્ઝ નથી).

(ર) મુસલમાન હોય (કાફિરથી ઝકાતની માંગણી નથી).

(૩) સમજદાર હોય (પાગલ પર ઝકાત ફર્ઝ નથી, જ્યારે કે પાગલપણું તેના પર લગાતાર છવાયેલું રહેતું હોય).

(૪) બાલિગ હોય (નાબાલિગ–બાળક પર ઝકાત ફર્ઝ નથી).

(પ) તેને ઝકાતના ફર્ઝ થવાનું ઇલ્મ હોય (ભલેને હુકમન્ જાણ હોય, જેમ કે ઇસ્લામી માહોલમાં વસવાટ કરતી વ્યક્તિ). (કિતાબુલ મસાઇલ : ર/૧૩૧, ૧૩ર)

Log in or Register to save this content for later.